FLN નિપુર્ણ ભારત અને અભ્યાસક્રમ video સ્વાધ્યાય

ad

Monday, 16 November 2015

Aaj Janmjayanti ગિજુભાઈ બધેકા Gijubhai Badheka

Aaj Janmjayanti

ગિજુભાઈ બધેકા
Gijubhai Badheka

_______________________

ઉપનામ

બાળકોની મૂછાળી મા,
વિનોદી,
બાળકોના બેલી


જન્મ
નવેમ્બર 15, 1885 :
ચિત્તળ (અમરેલી)

કુટુમ્બ
માતા – કાશીબા,
પિતા– ભગવાનજી

અવસાન
23 – જૂન , 1939


અભ્યાસ

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.
૧૯૦૫ –  મૅટ્રિક.

વ્યવસાય

૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર
૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક
૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય
૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત

જીવન ઝરમર

શિક્ષણના  વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ
કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન

મુખ્ય રચનાઓ

શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે,
સ્વતંત્ર બાલશિક્ષણ,
મોન્ટેસરી પધ્ધતિ,
અક્ષરજ્ઞાન યોજના,
માબાપ થવું આકરું છે,
બાલ ક્રીડાંગણો,
શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું

બાળસાહિત્ય –
ઈસપનાં પાત્રો,
કિશોર સાહિત્ય ( 1-6) ,
બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) ,
બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) ,
જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) ,
બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)

ચિતન – પ્રાસંગિક મનન,
શાંત પળોમાં

સન્માન

1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક

No comments:

Post a Comment